Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

સોમનાથ દરીયા કિનારે દોઢ વર્ષની બાળકીને લઈ આવનાર શખ્સ અપહરણકાર નિકળ્યો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૬: નાગપુર રેલ્વે સ્ટેશનથી દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરી સોમનાથ પહોંચેલ હતો. દરીયાકિનારે મારકુટ કરતો હોય તેથી શંકાઓ જતા પોલીસને બોલાવી આ શખ્સને પોલીસ સ્ટેશને લઈ ગયેલ હતા તેની પાસે વિગતો જાણી પોલીસે ગુજરાત મહારાષ્ટ્રમાં સોશ્યલ મીડીયાથી પોલીસ સ્ટેશનો માં જાણ કરતા નાગપુર રેલ્વે સ્ટેશનમાં તા.રર/૧૦/ર૧ના અપહરણ ગુનો નોંધાયેલ હતો.

સોમનાથ દરીયાકિનારે તા.૧૩ના રોજ સાંજના સમયે એક શખ્સ શંકાસ્પદ હાલત માં દોઢ વર્ષની માસુમ બાળકીને મારતો હોય જેથી ત્યાં ધંધાર્થીઓએ પોલીસ ને જાણ કરેલ જેથી પી.આઈ એન.એમ.આહીર,ડીસ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને બન્ને પોલીસ સ્ટેશને લાવેલ હતા બાળકીને માર મારતા ઈજાઓ થયેલ હતી તેની સારવાર કરેલ હતી.

પ્રભાસપાટણ પોલીસે મહારાષ્ટ્રના અમરાવતીમાં રહેતા સુરજ પ્રકાશ રાવ ખીરડકર હોવાનું જણાવેલ હતું તેમની વિગતો મેળવી આ શખ્સ આના માં-બાપને ફોન કરતા તેમના કોઈ લગ્ન થયેલ ન હોય તેમ જણાવેલ હતું જેથી પોલીસે તેમની પાસેથી તપાસ કરતા રેલ્વે ની ટીકીટો મળી આવેલ હતી તેથી પોલીસે ગુજરાત મહારાષ્ટ્ર ના પોલીસ સ્ટેશનો માં જાણ કરી સોશ્યલ મીડીયામાં મુકતા આ બાળકી મુળ. અલ્હાબાદ રહેતા હાલ.ડીલેવરી માટે નાગપુર આવેલ દીપા પ્રેમ ભારથીની પુત્રી હોય અને તેની ચાની દુકાન છે તા.ર૦/૧૦/ર૧ના રોજ અપહરણ કરી ગયેલ હોય તેની ફરીયાદ નાગપુર રેલ્વે પોલીસમાં નોંધાવેલ છે.

નાગપુર પોલીસે બાળકીની ઓળખ કરેલ હતી તેથી સોમનાથ આવી રહેલ છે અપહરણકાર સાથે અનેક લોકો હોય તેવું જાણવા મળેલ છે બાળકીની માતાએ જણાવેલ હતું કે અમારૂ મુળ ગામ નાગપુર હોય તેથી અલ્હાબાદથી ડીલેવરી કરવા માટે આવી છું તેમની માસુમ બાળકી મળી જતા અંશ્રૃભીની આંખે જણાવેલ હતું.

સોમનાથ પોલીસે અમારી આખા પરીવારની જીંદગી નવી આપેલ છે. સોમનાથ પોલીસના પી.આઈ એન.બી.આહીર તથા સમગ્ર સ્ટાફે સુરક્ષાના સાથે સમાજ સેવાનો મોટું કામ કરતા ઠેર ઠેરથી પ્રશંસા થઈ રહેલ છે.

(12:55 pm IST)