Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

સોમવારથી દ્વારકાના જગતમંદિર સાથે યાત્રાધામ બેટ દ્વારકા મંદિર પણ 23મી સુધી બંધ રાખવા નિર્ણય

બેટ દ્વારકા મંદિર તા, 17થી તા, 23 સુધી બંધ રહેશે : કોરોના સંક્રમણને કારણે લેવાયો નિર્ણય

પત્યેક પૂર્ણિમા નિમિત્તે શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે. કોરોનાનું સંક્રમણ વધતુ હોવાનું જણાયેલ છે. જે ધ્યાને લઇ અગમચેતીના ભાગરૂપે સોમવારથી દ્વારકાના જગતમંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવા કરાયેલ નિર્ણય બાદ યાત્રાધામ બેટ બેટ દ્વારકા મંદિર પણ સોમવારથી  23મી સુધી બંધ રાખવા નિર્ણય  કરાયો છે હવે બેટ દ્વારકા મંદિર તા, 17થી તા, 23 સુધી બંધ રહેશે

(8:44 pm IST)