Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

જોરાવરનગરની પરિણિતાનો ટ્રેન આડે પડતુ મૂકીને આપઘાત

વઢવાણ,તા. ૧૭: જોરાવરનગર - વઢવાણ વચ્ચેના રેલ્વે ટ્રેક ઉપરથી ગઈકાલે એક પરિણિતાની લાશ મળતા ચકચાર મચી ગઇ છે. આ અકસ્માત કે આપઘાતનો બનાવ છે તેને લઇ રહસ્ય ઘેરાયું છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જોરાવરનગરના સદગુરૂ ગોલાવાળાના પરિવારમાં આરતીબેન રાજુભાઈ પોપટ (ઉ.વ.૩૪)ની લાશ જોરાવરનગર વઢવાણ વચ્ચે રેલ્વેટ્રેક ઉપરથી મળી છે. પોલીસમાં આ બનાવ ટ્રેન અડફેટે અકસ્માતનો સવારે ૧૦-૩૫ કલાકે બન્યો હોવાનું તથા પોલીસમાં બપોરે ૩ કલાકે લક્ષ્મીચંદભાઈ રવજીભાઈ પોપટ (રે. જુની શાકમાર્કેટ વાળી ગલી, જોરાવરનગર) એ જાહેર કર્યું હોવાનું નોંધાવ્યું છે.

ચર્ચાતી વિગત મુજબ મરનાર આરતીબેને ટ્રેન આડેે પડતુ મુકીને આપઘાત કર્યું છે. પિયર જવા બાબતે આનાકાની થતા માઠુ લાગવાથી આ પગલુ ભર્યું હોવાનું મનાય છે. ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, મૃતક આરતીબેન બે દિકરીઓ ૧૩ વર્ષ અને ૭ વર્ષની માતા છે. જોરાવરનગર પોલીસે અકસ્માત મોત નોંધીને કાર્યવાહી કરી છે.

(10:53 am IST)