Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

કેશોદના બસ સ્ટેશનમાં ઠંડીના કારણે પ્રૌઢનું મોત

કણઝાનાં વૃધ્ધનું ઝેરી દવા પીતા મૃત્યુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭ : કેશોદના બસ સ્ટેશનમાં ઠંડીના કારણે એક પ્રૌઢનું મોત થયાનું જાણવા મળેલ છે. કેશોદ ખાતેના એસ.ટી. બસ સ્ટેશનમાં ભીખુભાઇ રામજીભાઇ વાજા (ઉ.વ.પ૦) બેભાન હાલતમાં મોત નીપજયુ હતુ. આ અંગે કેશોદની પ્રજાપતિ સોસાયટીમાં રહેતા મૃતકનાં પુત્ર કેવલે તેના પિતા ભીખુભાઇનું મૃત્યુ શીયાળાની ઠંડીને લીધે અથવા કોઇપણ બીમારીથી થયુ હોવાનું કેશોદ પોલીસમાં નિવેદન આપ્યુ હતુ.

મૃત્યુ

વંથલી તાલુકાના કણઝા ગામના જમનભાઇ જીવાભાઇ વાસવીયા (ઉ.વ.૬પ)નું  ઝેરી દવા પીવાથી જુનાગઢ સિવિલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ. 

(11:32 am IST)