Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

માળિયાના ઘાટીલા નજીક કેનાલમાં કાર ખાબકતા દંપતીના મોત મામલે ફરિયાદ નોંધાઈ.

કારના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

મોરબી :માળિયા તાલુકાના ઘાટીલા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર દંપતીનું મોત થયું હતું જે બનાવ મામલે માળિયા પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
હળવદના અજીતગઢ ગામના રહેવાસી મેહુલભાઈ આપાભાઈ રાઠોડ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાહુલભાઈ પ્રવીણભાઈ રાઠોડ (ઉ.વ.૨૪) વાળા યુવાને પોતાની કર જીજે ૩૬ આર ૭૯૦૨ પુરઝડપે ચલાવી નવા ઘાટીલાથી જુના ઘાટીલા ગામ તરફ જતી વેળાએ કાર પર કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલમાં ખાબકી હતી જેથી કારમાં સવાર રાહુલભાઈ રાઠોડ અને તેના પત્ની મિતલબેન એમ બંનેના પાણીમાં ડૂબી જતા મોત થયા છે માળિયા પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:58 am IST)