Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

વિરપુરના ભુલેશ્વરનગરમાં જૂના ઝઘડાનો ખાર રાખી બે પરિવાર વચ્ચે મારામારીઃ પાંચને ઇજા

વિનુભાઇ, બાબીબેન, પુજા, રાજુ અને અજયને રાજકોટ ખસેડાયાઃ ભાણો, તેની પત્ની મધુ અને પુત્ર ભગા સામે ગુન્હો

રાજકોટ તા.૧૭ : વિરપુરના ભુલેશ્વરનગર રેલવે સ્ટેશન પાસે જુની અદાવતના લીધે બે પરિવાર વચ્ચે મારામારી થતા ફરીયાદ થઇ છ.

મળતી વિગત મુજબ વિરપુર ભુણેશ્વરનગર રેલ્વે સ્ટેશન પાસે રહેતા વિનુભાઇ ધરમશીભાઇ પટેલીયા (ઉ.પપ) એ વિરપુર પોલીસ મથકમાં ઘર પાસે રહેતા ભાણા તેની પત્ની મધુ અને પુત્ર ભગો સામે ફરીયાદ નોંધાવી છે વિનુભાઇએ ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતે ગઇકાલે ઘરે હતા ત્યારે ઘર પાસે રહેતા ભાણો તેની પત્ની મધુ અને પુત્ર ભગો ત્રણેય ઘરે આવી અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઝઘડો કરવા લાગ્યા હતા.ત્યાં બબી પટેલીયા (ઉ.પપ) પુત્ર રાજુ પટેલીયા (ઉ.ર૭), અજય પટેલીયા (ઉ.૧પ) અને પુજા ભરતભાઇ ગોસ્વામી (ઉ.ર૦) વચ્ચે પડતા આ ત્રણેય શખ્સોએ ઉશ્કેરાઇને પાઇપ તથા લોખંડના સળીયા વડે મારમારતા પંાચેયને હાથે, પગે ઇજા કરી હતી. દેકાો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ વિનુભાઇ, તેના પત્ની બબીબેન, પુત્ર રાજુ, અજય અને પુજાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા આ બનાવ અંગે વિરપુર પોલીસે વિનુભાઇ પટેલીયાની ફરીયાદ દાખલ કરી હેડ કોન્સ દેવાયતભાઇએ ભુલેશ્વરનગરનો ભાણો, તેની પત્ની મધુ અને પુત્ર ભગાની ધરપકડ કરી હતી.

(1:02 pm IST)