Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

ભાવનગરમાં કોરોના થી રાહત: 232 કેસ નોંધાયા સામે 200 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 1694 થઈ

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગરમાં આજે સારા સમાચાર કહી શકાય આજે સોમવારે ભાવનગર શહેર અને જિલ્લાના મળી કુલ ૨૦૦ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. આજે ભાવનગર શહેરમાં ૨૦૨ પોઝીટીવ કેસ અને ગ્રામ્ય વિસ્તારમાંથી ૩૨ કોરોના પોઝીટીવ મળી કુલ ૨૩૪ કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગર શહેરમાંથી ૧૮૮ દર્દીઓ કોરોનામુક્ત થયા છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી ૧૨ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. 

આમ આજે ભાવનગરમાં ૨૩૪ કેસ નોંધાયા છે જ્યારે તેની સામે ૨૦૦ દર્દીઓ કોરોનામુક્ત થયા છે. હવે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 1694 થઈ છે.

(8:42 pm IST)