Gujarati News

Gujarati News

News of Wednesday, 17th February 2021

જેતપુરમાં તસ્કરોનો તરખાટ એડવોકેટના ઘરમાં ચોરી

જેતપુર, તા. ૧૭ :. શહેરમાં ચોરીના બનાવો ઘણા દિવસોથી બનવા ન પામેલ હોય લોકોએ હાશકારો અનુભવ્યો હતો પરંતુ તસ્કરોએ બે દિવસ પહેલા ધોરાજી રોડ વિસ્તારમાં રહેતી એક એડવોકેટના ઘરમાં કળા કરેલ આ અંગે પોલીસમા જાણ કરેલ પરંતુ કોઈ મોટી રકમ ગયેલ ન હોય ફરીયાદ કરવાનુ ટાળેલ. જો કે પોલીસે પોતાની કાર્યવાહી કરેલ. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારમાં પણ ચોરી થયેલ હોવાનું નજીકના વર્તુળમાંથી જાણવા મળે છે. જો કે પોલીસ દફતરે ચોરીની ફરીયાદ નોંધાઈ નથી.

શહેરમાં કોઈ તસ્કરો સક્રિય થયા હોય તેવુ લોકોમાં ચર્ચાય રહ્યુ છે. જેથી આ તસ્કરો કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા પોલીસ કાર્યવાહી કરે અને ચોરીનો બનાવ ન બને તેવુ ઈચ્છી રહ્યા છે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોય તે યથાવત જળવાઈ રહે.

(12:52 pm IST)