Gujarati News

Gujarati News

News of Saturday, 17th April 2021

જામજોધપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૧૭ : જામજોધપુર માં કોરોનાના વધતાં જતાં કેસને લઈ તેમજ કોરોનાની ચેઈન તોડવા તમામ વેપારીઓ એ સ્વૈચ્છિક બંધ પાડ્યું છે. શહેરમાં મેડિકલ અને ઇમરજન્સી સેવાઓ સિવાયનાં તમામ ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા છે.

મિનિબસસ્ટેન્ડ ચોક થી ગાંધીચોક, સ્ટેશન રોડ, બાલ મંદિર રોડ, સુભાષ રોડ,સાંકળી બજાર સહિત શહેરના તમામ વિસ્તારની બજારો સંપૂર્ણ બંધ જોવા મળી. કોરોનાના વધતાં જતાં સંક્રમણને લઈ શહેરના લોકો જાગૃત બન્યા અને ધંધા રોજગાર બંધ રાખી બંધને સમર્થન આપ્યું.

(11:47 am IST)