Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જામનગરમાં નર્સિંગ સ્ટાફે મીણબતી સાથે સરકારની આંખ ઉઘાડવા પ્રાર્થના કરી :

જામનગર : ગુજરાતમાં હાલ કોરોના અને મ્યુકોરમાયસીસનો ખતરો ટળ્યો નથી ત્યાં ટાઉત્ત્।ે વાવાઝોડું પણ દસ્તક દઈને ઉભું છે. તેવામાં ગુજરાત સરકાર સામે પોતાની પડતર માગણીઓને લઈને વિરોધે ચડેલા નર્સિંગ સ્ટાફે પણ ભીંસમાં લીધી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા ક્રમની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ના ૭૦૦ જેટલા નર્સિંગ સ્ટાફ પોતાની ૧૫ જેટલી માગણીઓને લઈને છેલ્લા પાંચ દિવસથી દેખાવ કરી રહ્યા છે ત્યારે નર્સિંગ સ્ટાફએ મીણબત્ત્।ી સાથે કોરોના વોરિયર્સ અને કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલી આપી સરકારની આંખ ઉઘાડવા પ્રાર્થના કરી હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(12:56 pm IST)