Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ ચારના મોત અને ૧૯૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૬૬ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૯,૮૬૫ કેસો પૈકી ૩,૯૦૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૧૯૦ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૯,૮૬૫ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૭૫ પુરૂષ અને ૩૨ સ્ત્રી મળી કુલ ૧૦૭ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૧૩, ઘોઘા તાલુકામાં ૧૯, તળાજા તાલુકામાં ૨૩, મહુવા તાલુકામાં ૩, સિહોર તાલુકાઓમાં ૧, પાલીતાણા તાલુકામાં ૧૦, ઉમરાળા તાલુકામાં ૫, ગારીયાધાર તાલુકામાં ૪ તેમજ જેસર તાલુકામાં ૫ કેસ મળી કુલ ૮૩ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા બે કોરોના પોઝિટિવ દર્દીઓ અને વલ્લભીપુર તાલુકાનાં પિપરીયા ગામ ખાતે રહેતા એક અને ઉમરાળા ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી મળી કુલ ૪ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૫૨ અને તાલુકાઓમાં ૧૪૪ કેસ મળી કુલ ૩૬૬ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૯,૮૬૫ કેસ પૈકી હાલ ૩,૯૦૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૫૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:32 pm IST)