Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

મોરબી : જુના સાદુળકા ગામેથી ગુમ થયેલ પરિણીતાએ પ્રેમી સાથે લગ્ન કરી લીધા

પતિના ત્રાસથી લાપતા થયેલી પરિણીતાએ પતિ સાથે છુટાછેડાં લીધા બાદ તેણે અન્ય યુવક સાથે લગ્ન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું

મોરબીમાં પતિના ત્રાસથી લાપતા થયેલી પરિણીતાએ પતિ સાથે છુટાછેડાં લીધા બાદ તેણે અન્ય યુવક સાથે લગ્ન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે
  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર જુના સાદુળકા ગામે રહેતી નિમુબેનને તેનો પતિ મનસુખ માનસીક ત્રાસ આપતો હોય જેથી કંટાળી જઇ કોઇ ને કહયા વગર ગત.તા.૨૧ -૦૫-૨૦૨૦ ના રોજ ઘરે થી નીકળી ગયેલ અને રખડતુ ભટકતુ જીવન જીવતા હતા બાદ છેલ્લા એકાદ મહીના થી તેના માવતરે નવા ઝીંઝુડા સોલંકી નગર ગામે જતા રહેલ બાદ તેને ગઇ તારીખ-૩૦/૦૪/૨૦૨૨ ના રોજ તેના પતિ મનસુખભાઇ બાલુભાઇ ડાભી સાથે છુટાછેડા લઇ લીધેલ બાદ સાકરીયા ગામ ના રહેવાસી રોહીતભાઇ સવધાનભાઇ ઠાકોર સાથે લગ્ન કર્યા હતા.
આ અંગેની માહિતી નિમુબેનના પૂર્વ પતિ મનસુખભાઇએ મોરબી તાલુકા પોલીસને કરી હતી.

(10:25 pm IST)