Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

માળીયા હાટીનામાં વિના મૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો

252 દર્દીઓને તપાસ કરી જેમાંથી 49 દર્દીને આંખના ઓપરેશન માટે રાજકોટ વિના મૂલ્યે લઈ જવાયા

માળીયા હાટીના :  સુનિધિ ફાઉદેસન બોમ્બે રણછોડ દાસ બાપુ આંખ હોસ્પટલ રાજકોટ 

ડો આભા બેન આર સેઠ અને આશીર્વાદ ટ્રસ્ટ માળિયા દ્વારા આજે માળીયા હાટીના માં વણિક મહાજન વાડી ખાતે વિના મૂલ્યે નેત્ર રોગ દવા સારવાર ઓપરેશન કેમ્પ યોજાયો હતો 

આ કેમ્પમાં ડૉ બોરિચાંગરએ 252 દર્દીઓને તપાસ કરી હતી  જેમાં થી 49 ને આંખના ઓપરેશનમાટે રાજકોટ વિના મૂલ્યે લઈ જવાયા છે અને બીજા દર્દી ઓ ને દવા ચશ્મા વિના મૂલ્યે આપેલ છે

મહેન્દ્ર ભાઈ ગાંધી અશોક ભાઇ ભાટ મોમોન સમાજના આગેવાનો સિરાજ ભાઈ અબ્દુલ ભાઈ બબલી આહુજા સહિતના  સેવા ભાવિ લોકોએ  આ કેમ્પ માં સેવા આપી હતી

(9:50 pm IST)