Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

મોરબીના રામધન આશ્રમ અને જય માતાજી સેવા સમિતિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ.

મોરબીના રામધન આશ્રમ તેમજ જય માતાજી સેવા સમિતિ દ્વારા ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા હતા

મહેન્દ્રનગર ખાતે આવેલ રામધન આશ્રમમાં ૯ દિવસની રામધુનનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ લમ્પી વાયરસથી મૃત્યુ પામેલ પશુધનને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રત્નેશ્વરીબેનની પ્રેરણાથી કપડા વિત્ર, પુસ્તક વિતરણ, મીઠાઈ અને ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું
જે સેવાકાર્યમાં રાજુભાઈ, પુજાબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, કરશનભાઈ, લાભુભાઈ, દેવકરણભાઈ, દિલીપભાઈ, દુર્લભજીભાઈ, મનજીભાઈ અને કેશુભાઈ સહિતના સેવાભાવીઓ જોડાયા હતા તેમ સેવક મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે.

(5:07 pm IST)