Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

ગોંડલના વાસાવડમાં બે ગાયોના શંકાસ્‍પદ મોતઃ દારૂનો આથો આરોગવાથી મોત થયુ ?

પોલીસ કહે છે એક ગાયનું બિમારીથી અને બીજી ગાયનું ઝેરી પદાર્થ ખાવાથી મોત થયું : દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસના દરોડા

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૧૭: તાલુકાના વાસાવડ મા બે ગાયોના મોત નિપજતા અરેરાટી વ્‍યાપી જવા પામી હતી.દેશી દારૂનો આથો ખાઇ જવાથી મોત નિપજયા ની ચર્ચાઓ વચ્‍ચે પોલીસે એક ગાય બીમારી થી અને એક ઝેરી પદાર્થ થી મોત ને ભેટી હોવાનુ જણાવી બે મહીલાઓ સહિત ચાર શખ્‍સો ને દેશી દારુ, આથો તથા સાધનો સહિત ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાસાવડ ના સુંદરનગર નજીક બે ગાયો મૃત હાલત મા મળી આવતા દોડી ગયેલા આઉટપોસ્‍ટ જમાદાર જગદીશભાઈ એ પશુ ડોક્‍ટર નો સંપર્ક કરી ગાયોના પીએમ માટે તજવીજ હાથ ધરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્‍યા મુજબ એક ગાયનુ બીમાર હોવા થી તથા બીજી ગાયનુ ઝેરી પદાર્થ ખાઇ જવાથી મોત થયાનુ પશુ ડોક્‍ટરે જણાવ્‍યુ છે.એફએસએલ ની મદદ લેવાયા નુ પણ જણાવ્‍યુ હતુ..બીજી બાજુ આ વિસ્‍તાર મા દેશીદારુ ની ભઠ્ઠીઓ ધમધમતી હોય દારુ નો આથો ખાઇ જવાથી ગાયોના મોત નિપજયા ની ચર્ચાઓ એ વેગ પકડતા સફાળી જાગેલી પોલીસે દરોડો પાડી દેવીપુજક હરેશભાઈ જીલુભાઇ વાઘેલા,શાયર ચંદુભાઇ વાઘેલા,હંસાબેન જીલુભાઇ વાઘેલા તથા અંજુબેન કિશોરભાઈ વાડોદરીયા ને દારુ ના કેરબા,ગોળ ના ડબ્‍બા,તથા માલસામાન સાથે જડપી લઈ કાર્યવાહી કરી હતી.

(12:04 pm IST)