Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

નેહરૂ યુવા કેન્‍દ્ર જામનગર દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની ઉજવણી

જામનગર, તા.૧૭: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્‍દ્ર- દ્વારા  ૭૫ મોં આઝાદી ના અમૃત મહોત્‍સવ ના અવસર પર આજરોજ ૧૫ મી ઓગસ્‍ટ સ્‍વતંત્ર દિવસની ઉજવણી જામનગર નહેરુ એવા કેન્‍દ્રની ઓફિસ ખાતે કરવામાં આવેલ હતી, કાર્યક્રમની શરૂઆત  ધ્‍વજારોહણ કરીને કરી હતી,ત્‍યારબાદ દીપ પ્રાગટ્‍ય કરી આગળનો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી હતી, નહેરુ એવા કેન્‍દ્રના રાષ્ટ્રીય સ્‍વયંસેવકો દ્વારા  ગ્રુપમાં ગીત તેમજ વક્‍તૃત્‍વ સ્‍પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું  કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે કુમારી માનસીસિંહ (જિલ્લા પ્રોજેક્‍ટ ઓફિસર, ડિઝાસ્‍ટર સેલ)  હાજર રહેલા હતા આયોજન  ઉડાન યુથ ક્‍લબ તેમજ રાષ્ટ્રીય સ્‍વયંસેવકો દ્વારા કરવામાં આવેલું હતું.

(1:01 pm IST)