Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરૂ

 કેશોદઃ કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરૂ કરી જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે રાહત ભાવે ફરસાણ મીઠાઈ નું વેચાણ શરૂ કરવામાં આવેલ છે. કેશોદ ચાર ચોક વિસ્‍તારમાં ટાવર બિલ્‍ડીંગ નીચે સ્‍ટોલ ઊભો કરવામાં આવ્‍યો છે જયાં તમામ પ્રકારના ફરસાણ સોનપાપડી એક કિલોના દોઢસો રૂપિયા અને મેસુબ અને ટોપરા મેસુબ એક કિલોના બસો રૂપિયા રાહત ભાવે વેંચાણ કરવામાં આવે છે.  કન્‍વીનર રાજુભાઈ પંડ્‍યા એ જણાવ્‍યું હતું કે ચલો એક દિયા વહાં ભી જલાયે જહાં આજ ભી અંધેરા હે પંક્‍તિ ને સાર્થક કરવા જન્‍માષ્ટમી પર્વ નિમિત્તે દર વર્ષે રાહત ભાવે જનતા તાવડા નું આયોજન કરવામાં આવે છે અને કેશોદ પંથકના લોકો ઉત્‍સાહથી તહેવારો ઉજવે એ હેતુને દાતાઓનાં સહયોગથી સાર્થક કરવા પ્રયાસ કરવામાં આવે છે.

(1:12 pm IST)