Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

જુનાગઢમાં ભાજપ દ્વારા નરેન્દ્રભાઇના જન્મદિને વૃક્ષારોપણ

જુનાગઢઃ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિતે 'સેવા સપ્તાહ' અંતર્ગત આજરોજ વોર્ડ નં.૧૧માં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર ભાજપના અધ્યક્ષ શશિકાન્તભાઇ ભીમાણી, મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા, કોર્પોરેટરશ્રી પલ્લવીબેન ઠાકર, વોર્ડ પ્રમુખ મિલનભાઇ ભટ્ટ, મહામંત્રી અલ્કેશભાઇ ગુંદાણીયા, વનરાજભાઇ સોલંકી, કિશનભાઇ પંડિત અને વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલાઃ જુનાગઢ)

(12:59 pm IST)