Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કચ્છના કબરાવ શ્રી વડવાળી મણીધર મોગલ માતાજી મંદિરનાં ચારણ રૂષિબાપુનો જન્મદિન

વાંકાનેર,તા. ૧૭: કચ્છ મા સામખીયારીથી ચાલીસ કિલોમીટર અને ભચાઉ તાલુકાના 'કબરાવ' માં આવેલ જગ વિખ્યાત શ્રી વડવાળી મણીધર મોગલ માતાજીનું મંદિર (શ્રી મોગલધામ) ખાતે આજરોજ તા.૧૭ / ૯ / ૨૧ ને શુક્રવારના રોજ ભાદરવા સુદ અગિયારસ ના રોજ 'માઁ મોગલ માતાજીના પરમ ઉપાસક અને આપણા' ચારણ ઋષિ પૂજય બાપુશ્રીનો આજે (૭૫ મોં જન્મદિવસ) છે પૂજય બાપુશ્રીના જન્મદિવસ નિમિતે આજરોજ શ્રી મોગલ માતાજીના મંદિરે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમ ભકતસમુદાય દ્વારા રાખેલ છે આજે શ્રી મોગલ માતાજીનું વિશેષ પૂજન તેમજ સહુ ભાવિક, ભકતજનોએ આજે સવારે પૂજય બાપુશ્રીના જન્મદિવસ નિમિતે ફુલહાર પહેરાવી વિશેષ પૂજન કરેલ હતું તેમજ સવારે ભકિતમયના માહોલ વચ્ચે ધજારોહણવિધિ કરવામાં આવેલ હતી આ ઉપરાંત આજે પૂજય બાપુના જન્મદિવસ નિમિતે આજે રાત્રે ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ કલાકાર શ્રી ભીખુદાનભાઈ ગઢવીનો કાર્યક્રમ રાખેલ છે જે યાદી શ્રી વડવાળી મણીધર મોગલ માતાજી ના મંદિરથી જણાવાયું છે. 

(11:53 am IST)