Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

પૂર અસરગ્રસ્ત માણાવદર વિસ્તારમાં અર્જુનભાઇ

જૂનાગઢ,તા.૧૭ : જૂનાગઢ જિલ્લામાં અતિથી અતિ ભારે વરસાદના કારણે ધેડ પંથકમાં પાણીના પૂરના કારણે અનેક ગામડાઓ પ્રભાવિત થયેલ છે ખેડૂતોની આજીવિકા સમાન ખેતીને તથા પશુ પાલનનું ભંયકર નુકસાન થયેલછે લોકોની ઘરની ઘર ઘરવખરીને નુકસાન થયેલ છે આવા સંકટ સમયે જૂનાગઢ જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોને સરકારની મદદ ની જરૂરીયાત છે તેવા સમયે સરકાર અને સત્તા પક્ષના ધારાસભ્યો પોતાના સ્વાર્થ ખાતર ગાંધીનગર ધામા કરી અને પૂર થી પ્રભાવિત જનતા ભગવાન ભરોસે રાખી  તેવા સમયે ગુજરાતનું વિરોધપક્ષ કોંગ્રેસ લોકોની વચ્ચે રહીને કોંગ્રેસ પક્ષ ના વિવિધ નેતાઓ પૂર પ્રભાવિત ગામોની જાત સમીક્ષા કરવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને કાયમ જનતા સુખ દુઃખમાં સાથે રહેનારા અર્જુનભાઈ મોઢવાડીયા  માણાવદરના પૂર પ્રભાવિત ઘેડ પંથકના ગામોની જાત સમીક્ષા કરવા માણાવદરના પ્રવાસે છે તેવુ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી. ટી. સીડાની યાદીમાં જણાવાયુ છે.

(1:15 pm IST)