Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

કચ્છમાં પૂ. ભાઈશ્રીની ભાગવત્ કથામાં લોકગાયક મયુર દવેની સંતવાણી

જૂનાગઢઃ બ્રહ્મસમાજના યુવા લોકગાયક કે જેઓ દેશ-વિદેશમાં કલાના કામણ પાથર્યા છે અને બ્રહ્મસમાજ અને સોરઠનું ગૌરવ વધાર્યુ છે. તેવા મયુર દવેએ નારાયણ સરોવર કચ્છ ખાતે રાષ્ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય અને શુકદેવજી સ્વરૂપ પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત્ સપ્તાહમાં ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ પૂ. ભાઈશ્રીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ભજન સંધ્યાના કાર્યક્રમમાં ભજનો રજુ કરી મયુર દવેએ સૌને તરબોળ બનાવ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:20 pm IST)