Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

આજે જુનાગઢમાં નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમતે ૭૧ લોકો સાથે યોગ શિબીર તથા હવન : પ્રતાપભાઇ થાનકી દ્વારા શિબીરનું સંચાલન

જુનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧ માં જન્મ દિવસ નિમિતે યોગ શિબીર અને હવનનું સવારે ૭ થી ૮.૩૦ કલાકે શિવમ પાર્ટી પ્લોટ બંસીધરનગર બસ સ્ટેશન પાસે ગિરીરાજ -૩ જુનાગઢ ખાતે આયોજન કરાયુ હતું. આ અંગે વિગતો આપતા જુનાગઢ જિલ્લા યોગ કોચ પ્રતાપભાઇ થાનકીએ જણાવ્યુ હતું કે નરેન્દ્રભાઇના ૭૧ માં જન્મદિન નિમિતે ગુજરાત રાજય યોગ બોર્ડની સુચના મુજબ ૭૧ લોકો સાથે યોગ શિબીર તથા હવન કરવામાં આવશે આ યોગ શિબીરમાં શ્રી થાનકી યોગ કરશે સાથે સાથે હવનમાં પણ ૭૧ લોકો મંત્રોચાર ચાર સાથે નરેન્દ્રભાઇ ના દિર્ઘાયુસ્ય માટે યજ્ઞમાં આહુતિ આપી હતી. તેમ પ્રતાપભાઇ થાનકીએ જણાવ્યું છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:30 pm IST)