Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

જામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પૂ. જીજ્ઞેશદાદા (રાધે રાધે) ની વિશેષ ઉપસ્થિતિમાં પંચ વાર્ષિક પાટોત્સવ સંપન્ન

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર, તા.૧૮: મકજામજોધપુર સ્વામિનારાયણ મંદિરે પ.પૂ.ધ.ધૂ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના રૂડા આર્શીવાદથી અ.નિ.સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ભગવતચરણદાસજીના દિવ્ય આશીર્વાદ થી મહામુકતરાજ શ્રી દેવુભગતજી (જય સિયારામ) રાણાકંડોરણા વાળા ની સ્મૂતિમાં તથા સુપ્રસિદ્ઘ ભાગવત કથાકાર પૂ. જીજ્ઞેશદાદા(રાધે-રાધે) તેમજ શાસ્ત્રી સ્વામી શ્રી રાધારમણદાસજી તેમજ કોઠારી સ્વામી શ્રી જગતપ્રસાદ દાસજીની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મંદિર જામજોધપુરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણદેવ, રાધારમણદેવના પંચ વાર્ષિક પાટોત્સવનું વિક્રમ સંવત ૨૦૭૭, વસંત પંચમીના પવિત્ર દિવસે આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટોત્સવ, આરતી, ઘનશ્યામ મહારાજનું પૂજન, અભિષેક, કીર્તન, સંતોના આર્શીવાદ, અન્નકૂટ દર્શન તથા બપોરે આરતી, બ્રહ્મ ચોરાસી, શાકોત્સવ પ્રસાદ વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોઠારી સ્વામી શ્રી ગોવિંદપ્રસાદદાસજી દ્વારકા, કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી સાંકળી તથા ધામેધામ થી સંતો-મહંતો ઉપસ્થિત રહ્યાં હતાં. 

જામજોધપુર માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સી.એમ. વાછાણી, ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, નગરપાલિકાના ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર, વાસમો ડાયરેકટર અમુભાઈ વૈક્ષ્લાણી, હિરેનભાઈ ખાંટ, ભીખુભાઇ કવૈયા, ખુશાલભાઈ જાવીયા, કૌશિકભાઈ રાબડીયા તેમજ રાજકોટ, મોરઝર, પાનેલી વગેરે સત્સંગ સમાજના હરિભકતો જોડાયા હતા.

(10:20 am IST)