Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મોરબી તાલુકામાં કોરોનાના નવા ૨ કેસ : વધુ ૧ દર્દી સ્વસ્થ

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૮ : મોરબી તાલુકામાં કોરોનાના નવા ૦૨ કેસો નોંધાયા છે તો વધુ ૦૧ દર્દી સ્વસ્થ થયા છે જયારે અન્ય ચાર તાલુકામાં રાહત યથાવત જોવા મળી છે.

નવા કેસમાં મોરબી તાલુકાના ૦૨ કેસો શહેરી વિસ્તારમાં નોંધાયા છે જયારે ૦૧ દર્દી સ્વસ્થ થયા છે. જયારે વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયામાં નવો એકપણ કેસ નોંધાયો નથી નવા કેસ સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૩૫૦ થયો છે જેમાં ૧૪ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૩૧૨૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.

(11:02 am IST)