Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

શનિવારે જામનગરના જામસાહેબ જામ શત્રુશલ્યસિંહજીનો જન્મ દિનઃ કોરોનાના કારણે રૂબરૂ તસ્દી ન લેવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૮ :. જામનગરના જામસાહેબ જામ શત્રુશલ્યસિંહજીનો તા. ૨૦ને શનિવારે જન્મ દિવસ છે.

જામસાહેબે જણાવ્યુ છે કે, કોઈને કદાચ યાદ આવશે કે શનિવાર ૨૦મી ફેબ્રુઆરીએ મારો વિલાયતી જન્મ દિવસ છે, પરંતુ કોરોના વાયરસના વાતાવરણના કારણે મિત્રો અને સંબંધીઓને મારી હાર્દિક વિનંતી છે કે આપ મારા નિવાસસ્થાને પધારવાની તસ્દી લેશો નહિં, કારણ કે મને તો આનંદ થશે પણ આ કોવીડ-૧૯ના લીધે હું કોઈની મુલાકાત સલાહ પ્રમાણે લઈશ નહિ. તો આપ આપના આત્માથી મને આશીર્વાદ દેશો તો મને પહોંચી જશે તેમ અંતમાં જામસાહેબ જામ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યુ છે.

(12:42 pm IST)