Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

ભાવનગરમાં ૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૪ દર્દીઓ થયાં કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૬,૧૧૬ કેસો પૈકી માત્ર ૧૯ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર :ભાવનગર જિલ્લામા આજરોજ ૪ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૬,૧૧૬ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમા ૧ પુરૂષ અને ૧ સ્ત્રી મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧ તથા સિહોર તાલુકાનાં સાગવાડી ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૨ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨ તથા તાલુકાઓમાં ૨ કેસ મળી કુલ ૪ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૬,૧૧૬ કેસ પૈકી હાલ ૧૯ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામા ૬૯ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(8:09 pm IST)