Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

મોરબી સિવીલ હોસ્પિટલના ડો. અશ્વીન ટાંકનું અમદાવાદ સારવાર દરમિયાન મૃત્યુ

મોરબી સિવીલ હોસ્પિટલ માં ફરજ બજાવતા ડો. અશ્વિન ટાંકનું અમદાવાદ સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નિપજ્યું હતું
મુળ સુપેડી તા:- ધોરાજી ના વતની અને સીએચસી વંથલીથી તા:- 02/01/2010 થી બદલી થઈ મોરબી ફરજમાં મુકાયેલા અને ત્યારથી મોરબી સિવીલ હોસ્પિટલ માં ફરજ બજાવતા સિનિયર ડોકટર અશ્વીન ટાંકને તા: 20/3 ના રોજ તબિયત લથડતા તાત્કાલિક અમદાવાદ એસવીપી હોસ્પિટલ માં સારવાર માં ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમ્યાન ગતરાત્રીના મૃત્યુ નીપજ્યું હતું જો કે ઉલ્લેખનીય છે કે ડો.ટાંક કોરોના સંક્રમિત થયા હોય અને સારવાર ચાલુ હોય દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી હતી.ડો ટાંકના મૃત્યુના સમાચારને પગલે મોરબી સિવીલ હોસ્પિટલ માં દુ:ખની લાગણી ફેલાઈ છે

(8:39 pm IST)