Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

કેશોદમાં મિથિલીન બ્લૂ અને આયુર્વેદિક ઉકાળાનું વિનામૂલ્યે વિતરણ

કેશોદ : શહેરના લોકોની રોગ પ્રતિકાર શકિત વધે અને મહામારીનો સામનો કરવા સક્ષમ બને તે હેતુથી વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ તેમજ જલારામ મંદિર કેશોદ અને ગૌરક્ષા દળ દ્વારા મિથિલીન બ્લૂ અને આયુર્વેદિક ઉકાળાનું વિનામુલ્યે વિતરણ જુદા જુદા વિસ્તારોમાં જલારામ મંદિર, આલાપ કોલોની તેમજ બાપા સીતારામ મંદિર ખાતે ત્રણ દિવસ માટે કરાયેલ છે.વિશ્વ હિન્દુ પરિષદ કેશોદના પ્રમુખ મહેલુભાઇ ગો઼ડલિયા, બજરંગ દળના રાકેશ ચુડાસમા જલારામ મંદિરના રમેશભાઇ રતનધાયરા તથા દિનેશભાઇ કાનાબાર, લખન કામરિયા, રાજુભાઇ બોદર વગેરે દ્વારા વિતરણની વ્યવસ્થા થઇ છે (તસ્વીરઃ અહેવાલ-સંજય દેવાણી -કેશોદ)

(12:26 pm IST)