Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૮ કેસ, ૧૧૨ દર્દીઓ સ્‍વસ્‍થ, એકનું મોત

મોરબી,તા. ૧૮: મોરબી જીલ્લામાં કોરોનાના માત્ર ૨૮ કેસો નોંધાયા હોય તેમજ ૧૧૨ દર્દીઓ સ્‍વસ્‍થ થયા તેમજ એક દર્દીનું મોત થયાનું સરકારી ચોપડે નોંધાયું છે. નવા કેસોમાં મોરબી તાલુકાના ૧૮ કેસો જેમાં ૧૨ ગ્રામ્‍ય અને ૦૬ શહેરી વિસ્‍તારમાં, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્‍તારમાં, હળવદના ૦૨ કેસ ગશહેરી વિસ્‍તારમાં, ટંકારાના ૦૫ અને માળિયાના ૨ કેસો ગ્રામ્‍ય પંથકમાં મળીને નવા ૨૮ કેસો નોંધાયા છે મોરબી તાલુકામાં એક દર્દીનું મોત થયું છે જયારે ૧૧૨ દર્દીઓ જીલ્લામાં સ્‍વસ્‍થ થયા છે. મોરબી જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ઘટીને ૫૯૧ થયો છે ફાયર ટીમે કોવિડ પ્રોટોકોલ મુજબ ૦૧ મૃતદેહના અંતિમ સંસ્‍કાર કર્યા છે.

(12:31 pm IST)