Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

માળીયામાં સ્થળાંતર કરાયેલા લોકો માટે જયદીપ એન્ડ કંપની દ્વારા જઠરાગ્નિ ઠરાવનો સેવાયજ્ઞ.

મોરબી જીલ્લામાં હાલમાં વરસાદ વરસી રહયો છે અને વવ્ઝોદની સંભાવના હતી જેથી કરીને દરિયાય પત્તિના ગામોમાંથી ઘાબા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે જયદીપ એન્ડ કંપની મોરબી તેમજ વાવણિયા વાળા દિલુભા જાડેજા, અને તેમના પરિવાર દ્વારા સ્થળાંતર કરવામાં આવેલા લોકો માટે રશન અને ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં વવાણીયા શ્રીમદ હાઈસ્કૂલમાં રાખવામાં આવેલા અગરિયાઓ અને કામદારો માટે ફૂડ પેકેટ તેમજ જમવાની  વ્યવસ્થા કરેલ છે અને ન્યુ નવલખીમાં જુમાવડીના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તે લોકો માટે પણ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી આપી હતી

(12:52 pm IST)