Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

ખંભાળીયામાં ૧૪પ લોકોને પાલીકાએ સેલ્‍ટરમાં ખસેડાયા

ખંભાળીયા, તા.,૧૮: દેવભુમી દ્વારકા જીલ્લાની તમામ છ નગર પાલીકાઓ ખંભાળીયા, સલાયા, દ્વારકા, ઓખા, જામરાવલ તથા ભાણવડમાં પાલીકા વિસ્‍તારોમાં જીલ્લા તંત્રના માર્ગદર્શન હેઠળ ચીફ ઓફીસરો દ્વારા ર૪ કલાક સ્‍ટાફ સાથે કંટ્રોલરૂમ દરેક સ્‍થળે તથા દરેક ગામમાં નીચાણવાળા તથા કાચા મકાનોમાં રહેતા લોકોનું સ્‍થળાંતર કરવામાં આવ્‍યું હતું.

ખંભાળીયા પાલીકા વિસ્‍તારમાંથી ૧૪પ લોકોને દા.સુ.ગર્લ્‍સ હાઇસ્‍કુલ તથા કોમ્‍યુનીટી હોલમાં રહેવા અંગેની તથા ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

જીલ્લાના ભાણવડ, સાલાયા, દ્વારકા, ઓખા તથા ભાણવડ પાલીકા વિસ્‍તારોમાં પણ આવી રીત જ વ્‍યવસ્‍થા થઇ હતી.

ખંભાળીયા પાલીકા ચીફ ઓફીસર અતુલ ચંદ્રસિંહ તથા પાલીકાના કર્મચારીઓ ડગરાભાઇ, રમેશભાઇ વાઘેલા, રાજપાટ ગઢવી વિ. જોડાયા હતા.

(1:45 pm IST)