Gujarati News

Gujarati News

News of Tuesday, 18th May 2021

દ્વારકા જીલ્લામાં પોઝીટીવનું પ્રમાણ ઘટયુ : નવા ૧૬: ર૧ ડીસ્‍ચાર્જ થયા

ખંભાળીયા, તા,.૧૮: દ્વારકા જીલ્લામાં કોરોના પોઝીટીવના દર્દીઓમાં લગાતાર ઘટાડો નોંધાઇ રહયો હોય તેમ અગાઉ ૯૧ કેસ ર૪ કલાકમાં થતા હતા તે બે દિવસથી ર૦ નીચે ગયા છે.

ગઇકાલે નવા કેસ માત્ર ૧૭ નોંધાયા હતા જેમાં ભાણવડમાં એક, દ્વારકામાં પાંચ, કલ્‍યાણપુરમાં ત્રણ તથા ખંભાળીયામાં સાત નવા કેસ નોંધાયા હતા. જયારે ર૧ દર્દીઓ સાજા થતા ડીસ્‍ચાર્જ કરાયા હતા. જેમાં ભાણવડના ચાર, દ્વારકાના સાત, કલ્‍યાણપુરના તથા ખંભાળીયાના આઠ દર્દીનો સમાવેશ થાય છે.

દેવભુમી દ્વારકા જીલ્લામાં અત્‍યાર સુધીમાં કુલ ર૯પ૮ દર્દીઓ કોરોના પોઝીટીવના ખંભાળીયા, દ્વારકા, ભાણવડ તથા કલ્‍યાણપુરમાં નોંધાયા છે તથા ગઇકાલ સુધીમાં એકટીવ કેસની સંખ્‍યા ૮૩૧ની થઇ છે.

 

(1:35 pm IST)