Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ગુરુશ્રી રવિશંકરજીના જન્મદિવસ નિમિતે આર્ટ ઓફ લિવિંગ ગોંડલ દ્વારા ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને આઈસક્રીમ આપ્યો

ગુરુજીના જન્મદિવસ નિમિતે બાળકો આઈસ્ક્રીમ ખવડાવીને મોજ કરાવી

ગોંડલ : આધ્યાત્મિક ગુરુશ્રી રવિશંકરજી ના જન્મદિવસ નિમિતે  આર્ટ ઓફ લિવિંગ ગોંડલ દ્વારા ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકો ને આઈસક્રીમ ખવડાવી જન્મદિનની ઉજવણી કરાઈ હતી

 . ગુરૂજી દ્વારા "સુદર્શન ક્રિયા"વિશ્વ અને માનવ સમુદાયને મળેલ સંપૂર્ણ વેજ્ઞાનિક તથા આધ્યાત્મિક ભેટ છે. તનાવ મુક્તિ ના કાર્યક્રમો દ્વારા તનાવ મુક્ત મન હિંસા મુક્ત સમાજ અને દરેક ના ચહેરા પર મુક્ત હાસ્ય માટે વિશ્વભર માં દેશ અને જાતી ના ભેદભાવ વગર લાખો યુવાનો સાથે મળી અવિરત સેવા કરી રહ્યા છે. વિશ્વ સમુદાય શાંતિ અને પ્રેમના દૂત તરીકે ઓળખે છે. ત્યારે આવા ગુરુજીના જન્મદિવસ નિમિતે બાળકો આઈસ્ક્રીમ ખવડાવીને મોજ કરાવી હતી

(11:11 pm IST)