Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

અકસ્‍માતમાં મોતના ગુન્‍હામાં ર વર્ષથી ફરાર પંજાબના શખ્‍સને ઝડપી લેતી અમરેલી પોલીસ

અમરેલી-સાવરકુંડલા તા. ૧૮ : અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ અને હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલીની સુચનાથી અકસ્‍માતમાં મોતના ગુન્‍હામાં ફરાર સમશેરસીંગ નિર્મળસિંગ દેઓલ ઉ.૩૦ ધંધો-ક્રેન ચલાવવાનો રહે. ગીલબોબ, તા.બટાણા જી. ગુરૂદાસપુર થાણા, હરગોવિંદપુર (પંજાબ) વાળાને વસલાડ જીલ્લાના વાપી. જી.આઇ.ડી.સી.વિસ્‍તારમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડેલ છે.

આ શખ્‍સ સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે ક્રેન ચલાવવાનું કામ કરવા આવેલ હોય અને સને ર૦ર૦ ની સાલમાં બેફીકરાઇથી ક્રેન ચલાવી અકસ્‍માતમાં એક ઇસમનું મોત નિપજાવેલ અને વંડા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો નોંધાયો હતો. ગુન્‍હાના કામે પોલીસથી નાસતો ફરતો હોય અને પોતાના વનત પંજાબ જતો રહેલ હતો.

આ કામગીરીમાં પેરોલ ફર્લો સ્‍કવોર્ડ અમરેલીના પો.સ.ઇ. પી.બી.લકકડ, એ. એસ. આઇ. શ્‍યામકુમાર બગડા પો.કોન્‍સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, પો.કોન્‍સ દેવાયતભાઇ ભેડા, પો.કોન્‍સ. નરેશભાઇ લીંબડીયા, પો.કોન્‍સ. ફારૂકભાઇ પઠાણ  જોડાયેલ હતા.

(11:59 am IST)