Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

ભાવનગરની સંસ્‍થા દ્વારા અમરનાથ યાત્રાના શિવભકતો માટે જમ્‍મુમાં ભંડારાનું આયોજન

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૮ : ૧૯૯૭ થી કાર્યરત અમદાવાદની અમરનાથ યાત્રા સેવા ટ્રસ્‍ટ દ્વારા ૧૩ વર્ષથી ભંડારાનું આયોજન થાય છે. આગામી સમયમાં પ્રારંભ થનાર અમરનાથ યાત્રાના ભકતોને રહેવા જમવા અને અન્‍ય સુવિધા વિનામૂલ્‍યે  તથા મોહિયાલ ભવન સરસ્‍વતિ મંદિર(શિવમંદિર) સેન્‍ટ્રલ બસ સ્‍ટેન્‍ડ સામે એમ.એ સ્‍ટેડિયમ પાસે સેન્‍ટપીટર હાઇસ્‍કુલની બાજુમાં કે. સોે. સિનેમાં રોડ જમ્‍મુ ખાતે તા. ૨૬ થી ભંડારો શરૂ કરાશે.

જેનું સંચાલન રાજેશભાઇ જોષી સહિતના સ્‍વયંસેવકો દ્વારા થશે. યાત્રા સંબંધી તમામ માહિતી અને માર્ગદર્શન અપાશે. યાત્રામાં જોડાતા ભાવનગરના યાત્રિકોએ ચંદ્રકાંત વી. દિહોરા મો. ૯૯૯૮૭ ૯૫૫૩૨ નો સંપર્ક સાધવાનું જણાવાયુ છે

(12:07 pm IST)