Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

જામજોધપુરના વિવિધ સંસ્થાના દાદા કાકુભાઇ સવજાણીનું અવસાન

જામજોધપુરઃ જામજોધપુરના વિવિધ સંસ્થાના દાતાશ્રી સ્વ.કાકુભાઈ મનજીભાઈ સવજાણી(હાલ મુંબઈ) (ઉ.વ.૯૮) નું તા.૧૬-૫-૨૦૨૨ ને સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયું છે તેઓ જામજોધપુર હોસ્પિટલ , સ્વામિનારાયણ એજયુકેશન ટ્રસ્ટ, ગૌસેવા સદન પાંજરાપોળ , લોહાણા મહાજન વાડી , જામજોધપુર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજની વાડી, ગઢવી સમાજની વાડી છાત્રાલય માંટે ભુમીદાન , ગાયત્રી મંદિર સત્સંગ હોલ , જલારામ મંદિર ,હવેલી સહીત અનેક સામાજિક, શૈક્ષણીક, ધાર્મિક સંસ્થામાં અનેરું યોગદાન આપ્યું છે. એમ જ તાલુકા જીલ્લાની અનેક સેવા ભાવી સંસ્થામાં ખુબ મોટુ યોગદાન આપી સૌરાષ્ટ્રના ભામાસા તરીકેની નામના મેળવી હતી તેઓનું દુઃખદ અવસાન થતાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

સદગતનું બેસણું તા.૧૯-૫-૨૦૨૨ ને ગુરુવારના રોજ સાંજે ૪ થી ૫.૩૦ વાગ્યા સુધી ગાયત્રી મંદિર સતસંગ હોલ ધ્રાફા ફાટક પાસે જામજોધપુર ખાતે રાખેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના.

(3:26 pm IST)