Gujarati News

Gujarati News

News of Wednesday, 18th May 2022

હળવદ દુર્ઘટના : કાલે ગુરુવારે વેપારીઓ અડધો દિવસ બંધ પાળશે

વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે


 હળવદ પંથક સહિત સમગ્ર ગુજરાતને હચમચાવતી ગોઝારી દુર્ઘટનામાં 12 લોકોના મોત નિપજતા મૃતકોના પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી કઠણ કાળજ ધરાવતા લોકોનું પણ કાળજું દ્રવી ઉઠ્યું છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. જેમાં હળવદના વેપારીઓ આવતીકાલે ગુરુવારે અડધો દિવસ દુકાનો બંધ રાખી શોક પાળશે અને વેપારીઓ દ્વારા શોકસભા યોજી હતભાગીઓને શ્રદ્ધાંજલિ અપાશે.
હળવદના જીઆઇડીસી વિસ્તારમાં આવેલા મીઠાના કારખાનામાં આજે અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા ત્યાં મજૂરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતા અને 12 જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ છે. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથક હચમચી ઉઠ્યું છે અને હળવદ પંથકમાં ભારે શોક વ્યાપી ગયો છે અને હળવદ પંથકના વેપારી આલમમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. હળવદના તમામ વેપારીઓ આવતીકાલે ગુરુવારે અડધો દિવસ દુકાનો બંધ રાખશે અને સવારે 10 વાગ્યે હળવદના ભવાની મેડિકલ પાછળ આવેલ હરસિદ્ધિ માતાજીના મંદિરે વેપારીઓ દ્વારા શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. વેપારીઓ મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને ભારે હૈયે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

(10:02 pm IST)