Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રધાનમંત્રી આવાસ યોજનાનાલાભાર્થીઓને પ્રતીકાત્મક ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવાશે

લાભાર્થીઓ વડોદરા ખાતેના વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નીહાળશે

 દેવભૂમિ  દ્વારકા :ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત ૧૮ જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિવિધ વિભાગના પ્રકલ્પોના શુભારંભ, ખાતમુહૂર્ત અને ઇ લોકાર્પણ થશે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પૂર્ણ થયેલ આવાસોનુ ઇ લોકાર્પણ કરવામાં આવશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ૧૮ જુનના સવારે ૧૧: ૩૦ કલાકે  ટાઉનહોલ, પોરબંદર રોડ,  ખંભાળિયા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ રાજીબેન વીરાભાઇ મોરીના અધ્યક્ષ સ્થાને યોજાશે. જેમાં વડોદરા ખાતે યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળશે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ચાવી અર્પણ કરી ગૃહપ્રવેશ કરાવવામાં આવશે

 કાર્યક્રમમાં જામનગર – દેવભૂમિ દ્વારકાના સંસદસભ્યશ્રી પૂનમબેન માડમ,  ખંભાળિયા – ભાણવડના ધારાસભ્યશ્રી વિક્રમભાઇ માડમ, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમાર ઉપસ્થિત રહેશે.

(10:08 am IST)