Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ગોંડલ વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ સૌરાષ્‍ટ્ર પ્રાંત દ્વારા જેહાદી કટ્ટરતા તેમજ હિંસાના વિરોધમાં કડક સજાની માંગ સાથે આવેદન

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૮: ગોંડલ વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગદળ દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્‍યું હતું જેમાં જણાવાયું હતું કે દેશમાં વધી રહેલી ઈસ્‍લામી જેહાદી કટ્ટરપંથી દ્વારા થતી આતંકવાદીઓ ઘટનાઓના જવાબદારો સામે તાકીદે કડક કાર્યવાહી થવી જોઈએ. વિશ્વ હિન્‍દુ પરિષદના પ્રમુખ રશ્‍મીનભાઇ અગ્રાવત તથા બજરંગ દળના પ્રમુખ હિરેનભાઇ ડાભીએ આવેદનપત્રમા જણાવ્‍યુ કે મસ્‍જિદોમાંથી નીકળતા જેહાદી કટ્ટરપંથીઓ દ્વારા લગાતાર હિન્‍દુઓના ઘરોને આગ ચાંપવામાં આવી રહી છે જાનલેવા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે આવા તત્‍વો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ, હિંસામાં સામેલ જેહાદી માનસિકતા વાળા લોકો, મસ્‍જિદો તથા જમિયત એ ઉલેમા એ હિંદ જેવા સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ કારણકે દંગા કરનારાઓના ખાણીપીણીના પ્રેરણા સ્‍તોત્ર આ લોકો જ છે તેવું અંતમાં જણાવ્‍યું હતું

(1:56 pm IST)