Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ધ્રાંગધ્રાના રાજસીતાપુરના આધેડને કોરોના વળગ્યો

 

વઢવાણ,તા. ૧૮: સુરેન્‍દ્રનગર જીલ્લામાં લાંબા સમય બાદ કોરોનાએ દેખા દીધી હતી. જેમાં બે વ્‍યક્‍તિને કોરોના થયો હતો. આ બન્ને દર્દી ગઈકાલે સાજા થઈ ગયા હતા. ત્‍યાં વધુ એક નવો કેસ સામે આવ્‍યો છે. ધ્રાંગધ્રા તાલુકાનાં રાજસીતાપુર ગામના ૫૦ વર્ષના આધેડનો રીપોર્ટ પોઝીટીવ આવ્‍યો છે.

હાલમાં તેમને હોમ આઈસોલેશન હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. નોંધનીય છેકે, લાંબા સમય બાદ કોરોનાએ દેખા દીધી ત્‍યારે રતનપર અને વઢવાણ શહેરી વિસ્‍તારમાં બે વ્‍યક્‍તિને કોરોના થયો હતો. આ બન્ને દર્દી ગઈકાલે સાજા થયા ત્‍યાં રાજસીતાપુરનો કેસ સામે આવ્‍યો છે. તેથી એક એક્‍ટીવ કેસ છે. અત્રે એ પણ નોંધનીય છેકે, જિલ્લામાં શુક્રવારે ૮૬૭ આર.ટી.પી.સી.આર અને ૯૨ એન્‍ટીએજન મળીને કુલ ૯૫૯ ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા

(12:12 pm IST)