Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

જૂનાગઢમાં કાલે કવિ મનોજ ખંઢેરીયાની સ્‍મૃતિમાં ‘‘શબ્‍દો જનમ્‍યા પરવાળામાં'' કાર્યક્રમજૂનાગઢમાં કાલે કવિ મનોજ ખંઢેરીયાની સ્‍મૃતિમાં ‘‘શબ્‍દો જનમ્‍યા પરવાળામાં'' કાર્યક્રમ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ, તા. ૧૮: શહેરમાં તા.૧૯ રવિવારે આઇએમએ હોલ ગાંધીગ્રામ ખાતે સાંજે ૬:૩૦ કલાકથી ગુજરાત રાજ્‍ય સંગીત નાટક અકાદમી ગાંધીનગર અને સપ્તક સંગીત વિદ્યાલય તથા શ્રી હાટકેશ ભાતૃમંડળનાં સહયોગથી  કવિ સ્‍વ.મનોજ ખંઢેરિયાની ભાવવંદના ‘‘શબ્‍દો જન્‍મ્‍યા પરવાળામાં''કાર્યક્રમમાં જાણીતા કવિ ડો.ઉર્વીશ વસાવડા,  કવિ ગોવિંદ ગઢવી ‘‘સ્‍મિત''દ્વારા તેમના કાવ્‍યો વિશે અને જીવન કવન વિશે વકતવ્‍યો તથા કવિ મહેંદ્રસિંહ પઢિયાર ‘‘મરમી'' દ્વારા કવિ મનોજભાઇ ખંડેરિયાની કવિતાઓનો કાવ્‍યપાઠ થશે. સાથે જાણીતા કલાકારો વિપુલ ત્રિવેદી, ખુશાલી બક્ષી, દર્પિત દવે, નિતિન બારડ દ્વારા કાવ્‍યોનું ગાન થશે. તથા વાદ્યવળંદમાં ગૌરવ ભટ્ટી, કળણાલ વ્‍યાસ, નફીસ દરોગા, જપન બક્ષી સંગત કરશે. કવિ મિલિન્‍દ ગઢવી દ્વારા  કાર્યક્રમનું સંચાલન થશે. કાર્યક્રમમાં મેયર ગીતાબેન પરમાર, પુર્ણિમાબેન ખંડેરિયા, કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી, ડોલરભાઇ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ચંદ્રેશભાઈ હેરમા, કિશનભાઈ દવે, નયનભાઇ ભટ્ટ, ધવલભાઈ વસાવડા ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમના પ્રારંભિક ઉદઘોષક તરીકે શ્‍લેષા વૈષ્‍ણવ રહેશે. કાર્યક્રમમાં સૌ નગરજનોને ઉપસ્‍થિત રહેવા અકાદમીના સભ્‍ય સચિવ પી.જી.પટેલ, સપ્તક સંગીત વિદ્યાલયનાં સંચાલક વિપુલ ત્રિવેદી તથા હટકેશ ભાતળ મંડળનાં પ્રમુખ અમિત બુચ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવેલ છે.

(1:57 pm IST)