Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

દ્વારકાના જયોર્તિલિંગ શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો રાત્રીનો નજારો

મીઠાપુર : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧ર જયોર્તિલિંગમાંનું એક એવું શ્રી નાગેશ્વર જયોર્તિલિંગ આવેલુ છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોય રોજબરોજ ભોળાનાથને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. તેમાં પણ આ શ્રાવણ માસના છેલ્લા સોમવારે મહાદેવને પુષ્પ શૃંગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ જ મંદિરમાં આવેલી ભગવાન શિવની દિગજ્જ પ્રતિમાનો તો રાત્રીનો નજારો અકલ્પનીય છે. તસ્વીરમાં મહાદેવના શૃંગાર અને ભગવાન ભોળાનાથની પ્રતિમાને નિહાળી શકાય છે. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:42 am IST)