Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

માણાવદર અને માંગરોળમાં કોરોનાની એન્‍ટ્રી સાથે કેશોદમાં વધુ એક કેસ

જૂનાગઢ શહેર - ગ્રામ્‍યમાં રવિવારે ૨૫૮૭નું વેક્‍સિનેશન

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૮ : માણાવદર અને માંગરોળમાં કોરોનાની એન્‍ટ્રી બાદ કેશોદમાં વધુ એક કેસ નોંધાયો હતો.
તહેવાર નજીક આવતા જાય છે તેમ તેમ જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા કેસ પણ આવી રહ્યા છે.
તા. ૧૬ના રોજ જિલ્લાના માણાવદર અને માંગરોળમાં કોરોનાએ નવેસરથી એન્‍ટ્રી કરતા એક-એક કેસ નોંધાયો હતો અને થાક્‍યા વગર કોરોનાએ આગેકૂચ જારી રાખીને ગઇકાલે કેશોદમાં કોરોનાના પોઝિટિવનો વધુ એક કેસ નોંધાયો હતો.
આમ સંક્રમણ વધતા આગામી દિવસો ચિંતાજનક રહેવાની શક્‍યતા નકારી શકાતી નથી.
દરમિયાન રવિવારે જૂનાગઢ સીટીમાં ૩૦૩ અને ગ્રામ્‍યમાં ૨૨૮૪ મળીછ કુલ ૨૫૮૭ લોકોને વેકિસન આપવામાં આવી હતી.

 

(11:45 am IST)