Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગોંડલમાં રાજકોટની ભાવિકાને આપઘાત માટે મજબુર કરનાર પતિ અને સાસરીયાની ધરપકડ

ચાર માસ પૂર્વે જ ભાવિકાના લગ્ન થયા હતાઃ મૃતક ભાવીકાના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો'તો પરંતુ ભાવિકાએ આપઘાત કર્યો હોવાનું ખુલ્યું

તસ્વીઁરમાં ભાવિકાનો મૃતદેહ તથા રાજકોટ હોસ્પીટલે ભાવિકાના પરિવારજનો  અને સગા સંબંધીઓ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૮ : ગોંડલમાં રાજકોટની યુવતીને આપઘાત મજબુર કરનાર પતિ અને સાસરીયાની પોલીસે ધરપકડ કરી છે. મૃતક યુવતીના પરિવારજનો તેની પુત્રીની સાસરીયાઓએ હત્યા કર્યાનો આક્ષેત કર્યો હતો. પરંતુ પી.એમ. રીપોર્ટમાં યુવતીએ આપઘાત કર્યાનું ખુલ્યુ હતુ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલમાં જેતપુર  રોડ ઉપર આવેલી આવકાર રેસીડેન્સીમાં રહેતી ભાવિકા  ચિરાગ બલદાણીયા ઉ.વ.૧૯ની ગત શનીવારે તેના ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.  બનાવની જાથ થતા મૃતક યુવતીના માતા-પીતા ગોંડલ દોડી ગયા હતા. અને તેની પુત્રી ભાવિકાને ગળેટુપો  દઇ હત્યા કર્યાનો આક્ષેપ કરતા  ગોંડલ પોલીસે ફોરેન્સીક પી.એમ. માટે લાશને રાજકોટ હોસ્પીટલે ખસેડી હતી.  રાજકોટ હોસ્પીટલે  મૃતક ભાવિકાના પરિવારજનો તથા સગા સંબંધીઓ તેમજ પૂર્વ કોર્પોરેટ દિલીપભાઇ આશવાણી સહિતના આગેવાનો દોડી ગયા હતા. એક તબક્કે હત્યાનો ગુન્હો નહી નોંધાય ત્યાં સુધી લાશ નહી સંભાળીએ તેવી ચીમકી આપાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.  જો કે ફોરેન્સીક પી.એમ. માં મૃતક ભાવિકાએ ફાંસો ખાધો હોવાનું ખુલ્યુ હતુ.

દરમિયાન આ બનાવ અંગે મૃતક ભાવિકાના  માતા મમતાબેન અશોકભાઇ શર્માએ  પોતાની પુત્રી ભાવિકાને આપઘાત માટે મજબુર કરનાર પતિ ચિરાગ સંજયાભઇ બલદાણીયા તથા  સાસરીયા પક્ષના સોનલબેન સંજયભાઇ બલદાણીયા, સંજયાઇ મનસુખભાઇ બલદાણીયા તથા રીતીક સંજયભાઇ બલદાણીયા રહે. આવકાર રેસીડેન્સી, ગોંડલ સામે  પોલીસમાં ફરીયાદ નોંધાવતા ગોંડલના પી.આઇ. મહેશ સાંગાળા તથા રાઇટર હરૂભાએ પતિ અને સાસરીયા સામે આઇ.પી.સી. ૩૦૬, ૩૨૩ તથા ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.

(11:52 am IST)