Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

વાંકાનેરમાં ઇદે મિલાદ પર્વ અંતર્ગત કાલે સરકારની ગાઇડલાઇન મુજબ ઝુલેસ નીકળશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૧૮ : મુસ્લિમ સમુદાયમાં પયગમ્બર સાહેબના જન્મોત્સવના પર્વ ઇદે મિલાદુન્નબીની ઉજવણી ઝુલુસ સાથે થઇ શકવાની મંજૂરી મળતા આ વેળા મુસ્લિમ સમુદાયમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આવતીકાલે વાંકાનેર ના રાજમાર્ગો પર ઇદે મિલાદનું ઝુલુસ નિર્ધારીત રૂટ મુજબ નીકળશે. જે ઝુલુસ રાબેતા મુજબ લક્ષ્મીપરા, પ્રતાપરોડ થઇ આ ઝુલુસ હઝરત શાહબાવાની દરગાહે પહોંચશે. ત્યાં સલાતો સલામ બાદ શાહબાવી ટ્રસ્ટ દ્વારા દરેક લોકોને ન્યાજ પેકેટમાં આપવામાં આવશે. જેનો લાભ લેવા તમામ હિન્દુ-મુસ્લિમોને અપીલ કરવામાં આવી છે.

સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. 

(11:53 am IST)