Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સી.આર.પાટીલની રકતતુલાઃ ૨૫૧ બોટલ રકત એકત્ર

વાંકાનેર, તા.૧૮: બોટાદ જિલ્લાના જગ વિખ્યાત એવા સાળંગપુરધામમાં બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર, સાળંગપુર આયોજિત પરમ પૂજય શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ તા.૧૬/૧૦/૨૧ને શનિવારના રોજ 'બ્લડ કેમ્પ' રાખેલ હતો. જે અનુલક્ષીને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શને ગુજરાત રાજય ભાજપ પ્રમુખ સી. આર. પટેલ પધાર્યા તથા પરમ પૂજય શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી -અથાણાવારા દ્વારા મેગા રકતદાન કેમ્પ ના માધ્યમથી (૨૫૧ બોટલ) એકત્રિત રકત દ્વારા રકતતુલા શ્રી સી. આર. પાટીલ કરવામાં આવી હતી તેમજ ગુજરાત રાજયના નગરિકો માટે સારા સ્વાસ્થ્ય ની પ્રાર્થના કરવામાં આવી હતી આ તકે સી. આર. પાટીલ એ જણાવેલ કે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ઉપર દેશના તમામ લોકોને ખુબ જ શ્રદ્ઘા છે ત્યારે દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેવું જણાવેલ અને હાલની પરિસ્થિતિમાં રકતની ખુબ જ જરૂરિયાત છે ત્યારે આ તકે (૨૫૧ બોટલ) રકત એકત્ર કરી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થાય તેવું સેવાનું આ ભગીરથ કાર્ય શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા કરવામાં આવેલ છે આ કામગીરીને તેમને બિરદાવી આ ઉત્તમ સેવા કરેલ છે તેમ સી. આર. પાટીલે  કહેલ. આ તકે સી. આર. પાટીલ સ્વાગત સંતો દ્વારા કરવામાં આવેલ અને તેવોએ પૂજય શાસ્ત્રી શ્રી હરીપ્રકાશદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના આશીર્વાદ મેળવેલ હતા તેમ પૂજારી સ્વામી શ્રી ડી. કે. સ્વામીજીની યાદીમાં જણાવાયું છે.

(12:04 pm IST)