Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

અમરેલીથી લાઠી સુધીનો ૧૭ કિલોમીટરનો માર્ગ ૯ કરોડના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરની મહેનતના કારણે મંજુર

અમદાવાદ ગાંધીનગરના માર્ગ માટે અતિમહત્વનો માર્ગ મંજુર કરી ખાતમૂહૂર્ત કામગીરીનો શુભારંભ કરાવતા ધારાસભ્ય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા ત. ૧૮ : બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજય સરકારમાંથી અમરેલી લાઠી નો ૧૭ કિલોમીટરનો માર્ગ ૯ કરોડ ના ખર્ચે મંજુર કરાવી તેનું ખાતમુહૂર્ત કરાવી કામગીરીનો શુભારંભ કરાવતા અમરેલી શહેરની જનતા તેમજ આસપાસની ગ્રામ્ય વિસ્તારના લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે  અમરેલી લાઠી માર્ગનું ખાતમુહુર્ત કરાવી જણાવ્યું હતું કે અમરેલીથી લાઠીનો ૧૭ કિલોમીટરનો આ માર્ગ અમરેલીથી અમદાવાદ અને ગાંધીનગર જવા માટે લોકોને ખુબજ ઉપયોગી થતો હતો તેમજ નેશનલ હાઇવેમાં અપગ્રેડ કર્યો છે પણ રાજય સરકાર પાસેથી રાજય ધોરીમાર્ગ માટે મળતા રૂ. ૨૦ કરોડ પૈકી રૂ. ૯ કરોડની ફાળવણીને નેશનલ હાઇવેનું કામ થવાનું છે પણ તે ત્રીજા ફેજમાં આવી રહ્યું છે અને તેને બે વરસ જેટલો સમય લાગી જવાનો છે પણ રાજય સરકારમાંથી રૂ. ૯ કરોડ મંજુર કરાવી અમરેલી લાઠી માર્ગ માં પેવર કામ શરૂ કરાવી આનંદની લાગણી વ્યકત કરી હતી.

આ તકે વરસડા ગામના સરપંચ સહિત સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(1:16 pm IST)