Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

ગાયકવાડ હવેલીમાં ફરજ બજાવ્યા બાદ સુરેન્દ્રનગરમાં બદલી થયેલ પોલીસ કોન્સ્ટેબલનું રોડ અકસ્માતમાં મોત

અમદાવાદ : રાજયમાં રોડ અકસ્માતના કિસ્સાો દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે એક પોલીસ જવાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે, ગાયકવાડ હવેલીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સટેબલની થોડાક સમય પહેલા સુરેન્દ્રનગરમાં બદલી કરવામાં આવી હતી. જો કે, તેઓ હાલ સુરેન્દ્રનગરમાં પોલીસની ફરજ બજાવી રહ્યા હતા. જો કે, આજે કોન્સ્ટેબલ પંકજભાઈનું રોડ અકસ્માતમાં અવસાન થયું છે.

(9:48 pm IST)