Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

ગિરનારની પરિક્રમામાં સાધુ સંતોએ યાત્રિકો માટે શરૂ કરેલ ભોજન સેવા

 જુનાગઢ : ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમામાં પરિક્રમાર્થીઓ માટે ગિરનાર મંડળના સંતો અને અખાડા પરિષદના અધ્યક્ષ પૂ. હરિગીરીજી મહારાજના નેતૃત્વ હેઠળ ગિરનાર મંડળના સંતો જેમાં અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ.મુકતાનંદબાપુ તેમજ અંબાજી મંદિર ગિરનારના મહંત પૂ. તનસુખગીરીબાપુ સહિતના એ પરિક્રમાના રૂટ ઉપર ૩ જગ્યાએ ભોજન ગુંદી ગાઠીયા ખાતે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનો અસંખ્ય પરિક્રમાર્થીએ લાભ લઇ રાજીપો વ્યકત કર્યો હતો. ઉપરોકત તસ્વીરમાં ગિરનાર મંડળના સંતો તેમજ પરિક્રમામાં બંદોબસ્ત જાળવતા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા અને ભોજન પ્રસાદ લેતા ભાવિકો અને પરિક્રમાર્થીઓ પરિક્રમા માર્ગે મજલ કાપતા નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(10:27 am IST)