Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

માટેલ ધરાની બાજુમા પુલ ઉપર દિવાલ જ નથી

વાંકાનેર : તાલુકાના જગ વિખ્યાત આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર પાસે માતાજી નો પવિત્ર માટેલીયો ધરો આવેલ છે. જે ધરા ની બાજુમાં પુલ માં એક સાઈડ ઉપર જ રેલીગ દ્યણા સમયથી વધારે પાણી આવવા થી નીકળી ગયેલ છે. આ પુલ ઉપરથી અવર જવર ખુબ જ રહે છે. આજુબાજુ ના ગામડાઓમાંથી તેમજ અનેક વિસ્તારમાંથી માટેલ મંદિરે આ પુલ પસાર કરીને જ અવાય આજે બે વર્ષ થી આ પુલ ની દીવાલ બાંધવામાં આવતી નથી કોઈ મોટો અકસ્માત થાય અથવા તો અહીંયા ગાયો પણ દરરોજ નીકળે છે. જે પાણી આવે ત્યારે પડશે તો બચે નહીં માટે હવે તંત્ર જાગશે કે શું  પુલ ની મરામત કરવા સમગ્ર ગ્રામજનો ની માંગણી છે.(તસ્વીર : હિતેશ રાચ્છ, વાંકાનેર)

(11:45 am IST)